![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/સીપુ-જળાશય-પર-નિર્ભય-hed.jpg)
સીપુ જળાશય પર નિર્ભય સરહદી ગામો મા પાણી નો જથ્થો નહિવત પહોંચ્યા પાણી ની પરબો ખાલી ખમ
ધાનેરા તાલુકા મા પાણી ની ભારે સમસ્યા આવી પડી છે.ધાનેરા શહેર ઉપરાંત તાલુકા ના મોટા ભાગ ના ગામડાઓ સીપુ જળાશય આધારિત પાણી પર નિર્ભર છે.જો સીપુ ના માધ્યમ થી પાણી પુરવઠો બંધ થાય તો ધાનેરા મા પાણી ની સમસ્યા પ્રજા ની મુશ્કેલી મા વધારો કરે તેમ છે.ધાનેરા તાલુકા ના સરહદી ગામડા મા પાણી ની વ્યવસ્થા માટે પાણી ની પરબ તેમજ પશુઓ માટે હવાડા બનાવવામાં આવ્યા છે.જો કે પાણી નો જથ્થો ઓછો મળવા ના કારણે પાણી પરબ કે હવાડા સુધી પહોંચતું નથી..
જેના કારણે લાખો ના ખર્ચે બનેલી પરબો પાણી વગર બિસ્માર પડી છે.ધાનેરા તાલુકા ના સરહદી ગોલા ગામ માં પણ ગામ અને ગામ નજીક ની મોટા ભાગ ની પાણી ની પરબો મા પાણી નથી આવ્યું .સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તાર માં રહેતી પ્રજા ને પાણી ની મુશ્કેલી નાં પડે તે માટે બજેટ મા પાણી ની વ્યવસ્થા માટે આયોજન કરાય છે.જો કે સીપુ આધારિત પાણી પુરવઠો મળતો હોવાના કારણે ગામ મા પાણી પહોંચતું નથી.ગામ માં આવેલ મંદિર કે જાહેર જગ્યા પર બનાવેલ પરબ સુધી પાઇપ લાઈન થી પાણી પહોંચાડવાનું હોય છે.પરંતુ મુખ્ય ઓવર હેડ મા પાણી નથી આવતું જેના કારણે પાણી ની સમસ્યા મા વધારો થઈ રહ્યો છે.
ગોલા મા માં આવેલી પાણી ની પરબો બનાવી ત્યાર બાદ પાણી પરબ સુધી પહોચ્યું નથી.જેથી કરી ને ગ્રામજનો ગામ માં જાહેર જગ્યા અને ધાર્મિક જગ્યા એ આવેલ પાણી ની પરબો ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.એક તરફ જ્યાં ગુજરાત સરકાર તળાવો નર્મદા ના પાણી થી ભરવા માટે ની તૈયારીઓ કરી છે.તો બીજી તરફ ગ્રામીણ વિસ્તાર માં લોકો ને પીવા માટે પાણી નો જથ્થો ઓછો મળે છે.જે મામલે સ્થાનિક તંત્ર આયોજન કરી પૂરતા પ્રમાણ મા પાણી ગામ ના દરેક ઘર સુધી પહોંચે તે પ્રકાર નું કામ કરવું જરૂરી છે.કારણ કે આગમી ચાર માસ સુધી કાળઝાળ ગરમી ના દિવસો છે.જેમાં પાણી ની જરૂરિયાત વધી જાય છે.