![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પાલનપુર-સ્વસ્તિક-મહિલા-hed.jpg)
સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દિકરીઓ ની સાથે તેમના દાદીમાં પણ કોલેજ માં પહોંચ્યા હતા.
અત્યારના આધુનિક યુગની વાત કરવામાં આવે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જુદા જુદા ડે ની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ ક્યાંય જોવા મળતી નથી વેસ્ટન કલ્ચર્સના કારણે દિવસને દિવસે હિંદુત્વનું સ્વરૂપ ખોરવાઈ રહ્યું છે આ ભારતીય વારસો જળવાઈ રહે તેવા શુભ આશયથી સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજની દીકરીઓ તેમના દાદીમાં સાથે કોલેજમાં આવે અને ભજન મંડળીમાં જોડાઈ તથા દીકરીઓ પણ જુદા જુદા વેશભૂષા ધારણ કરીને હિંદુત્વનું મહત્વ શું છે તેની જાણકારી પ્રાપ્ત કરે.ભજન કીર્તન દ્વારા તેઓ વેસ્ટન કલ્ચર્સ માંથી આધ્યાત્મિક કલ્ચર્સમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજની દિકરીઓ ઉત્સાહભેર જોડાઇ હતી.