સલ્લા ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા મકાનમાં પડેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.31,000 ની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના સલ્લા ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેઓ સોના ચાંદીના દાગીનાની ચોરી પલાયન થઈ જતા મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં રહેતા ભરતકુમાર શંકરજી ઠાકોર તા. 19 એપ્રિલ 2024 ના રોજ મજુરી કામ અર્થે ગયા હતા. તેમજ તેમના પત્ની ખેતરે ગયા હતા. તે સમય દરમિયાન તેમના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ કરી તિજોરી માં પડે સોના ચાંદીના દાગીના કિંમત રૂ. 31,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની મકાન માલિકને જાણ થતા મકાન માલિકે પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.