થેરવાડાથી ગણેશપુરાનો રોડ ઉબડખાબડ : વાહનચાલકો ત્રાહિમામ

બનાસકાંઠા
બનાસકાંઠા

સમસ્યાનું નિરાકરણ નહી આવતાં ગામલોકોમાં રોષ: ડીસા તાલુકાના થેરવાડા, આગડોલ, ગણેશપુરા સહિતનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે. જે માર્ગ પર ઠેરઠેર કપચી પણ ઉખડી ગઈ છે જેને કારણે માર્ગ ઉબડખાબડ બની ગયો છે. જેથી વાહનચાલકોને ભારે પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય મોટી આગડોલ, ઘાડા, ધનપુરા, તાલેપુરા સહિતના આજુ બાજુના ત્રણ-ચાર ગામના ઘણા વિદ્યાર્થીઓ ભણવા માટે નજીકના થેરવાડામાં જાય છે.

ત્યારે સામાન્ય રીતે તેઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. જેને કારણે માર્ગ પરથી દરરોજ તેમની અવરજવર રહેતી હોય છે. ત્યારે માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ભરેલી ઈકો ગાડી અકસ્માતના ભયે અવરજવર કરતી હોય છે. જેથી માર્ગ પર ઠેકઠેકાણે મોટા ખાડા પડી ગયા છે. આમ આ માર્ગનૂ છેલ્લા ઘણા સમયથી સમારકામ પણ કરવામાં આવ્યું નથી. જેથી આજે આ માર્ગની હાલત બિસ્માર બની જવા પામી છે. જેને કારણે દૂધ ભરાવા જતા પશુપાલકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સત્વરે ગામના માર્ગનું સમારકામ કે નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઊભી થવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.