![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/થરાદ-ના-પુર્વ-ધારાસભ્ય-હેડક.jpg)
થરાદના પુર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ના અંગત ગણાતા દિલાવરસિંહ વાઘેલા નું રાજીનામુ
લોકસભા ચૂંટણી નજીક છે એવામાં પક્ષોમાં નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. એક બાજુ કેટલાક ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથવત છે.
લોકસભાની ચૂંટણીના હવે થોડા દિવસો જ બાકી પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક થરાદ ના પુર્વ ધારાસભ્ય ની સાથે સાત દિવસ ભુખ હડતાલ પર સાથ આપનાર સાથી દિલાવરસિહ વાઘેલા એ રાજીનામુ આપ્યું છે.ત્યારે આજે પ્રયંકા ગાંધી લાખણી તાલુકામાં સભા યોજવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેશ ના મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ના ઉપપ્રમુખ દિલાવરસિહ વાઘેલા નું રાજીનામું આપીયું છે. દિલાવરસિંહ વાઘેલા ના રાજીનામા થી કોંગ્રેસ ને થરાદ માં મોટું થસે નુક્સાન થશે.