કુંભલમેરના 60 વર્ષીય પ્રૌઢને નવજીવન મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના 60 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઇને અગાઉ જુના ટીબીના લીધે છેલ્લા ઘણા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી અચાનક શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થતા બેભાન અવસ્થામાં ગત 24 એપ્રિલના ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર ખાતે દાખલ કરાયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અગાઉના રિપોર્ટ તપાસી જુના ટીબીના લીધે ફેફસામાં ચેપ લાગ્યો હોવાનું માલુમ પડતું હતું. જેના લીધે લોહીમાં કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધી ગઈ હતી. જેના લીધે શ્વાસ નળીમાં ટ્યૂબ નાંખી વેન્ટિલેટર મશીન ઉપર રાખી ફેફસાનો ચેપ દૂર કરવાના માટે ના ઈન્જેકશનો ની સાથોસાથ સારવાર આપવામાં આવી હતી. જેમાં અગાઉના રિપોર્ટ જોયા બાદ નવીન રિપોર્ટમાં એ.બી.જી.સી.બી.સી.આર.બી.એસ. તેમજ ચેસ્ટના રિપોર્ટ ના આધારે સાત દિવસ સુધી વેન્ટિલેટર મશીન ઉપર રાખી જરૂરી દવાઓ ચાલુ કરવામાં આવી હતી.

તબિયતમાં સુધારો આવતા સાત દિવસ બાદ સાદા ઓક્સિજન પર રખાયાં હતા. જેમાં સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોશીની દેખરેખ હેઠળ રેસ્પીરેટરી વિભાગના ડો.બ્રિજેશ ચૌહાણ,ડો મનીષા નિનામાં,ડો મજુબેન મકવાણા, ડો,કૃતાર્થ ચૌહાણ, ડો મિત્તલ આંટીયાં સહિતની ડોક્ટર ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે હાજર રહી સફળ સારવાર કરવામાં આવી હતી દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા અગિયારમાં દિવસે રજા આપવામાં આવી હતી.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.