પાલનપુરમાં વિધર્મી દ્વારા અશાંતધારાનું ઉલ્લંઘન કરાતું હોવાની રાવ
ગેર કાયદેસર મકાનો તોડી નવીન બાંધકામ કરાતા સ્થાનિકો એ આપ્યું આવેદનપત્ર
મહેશ્વરી સોસાયટીના રહીશો એ મનાઈ હુકમની કરી માંગ: પાલનપુર શહેરના કોટના અંદરના વિસ્તારમાં અશાંતધારાનું ઉલ્લંઘન કરી વિધર્મી દ્વારા ગેરકાયદે મકાનો તોડી નવીન બાંધકામ કરાતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે ભવિષ્યમાં જાહેર સુલેહ શાંતિ ન જોખમાય તે માટે સ્થાનિક રહીશોએ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી થઈ રહેલા બાંધકામ સામે મનાઈ હુકમની માંગ કરી છે.
પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તાર માં હિન્દુ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. જે વિસ્તાર માં વિધર્મીઓ મકાનો ખરીદીને વસવાટ કરવા લાગતા હિન્દુ પરિવારો પોતાના મકાનો પાણીના મોલે વેચી રહ્યા હોઇ આ વિસ્તાર ના હિન્દુ પરિવારો લઘુમતીમાં મુકાઇ જતા સરકાર દ્વારા ઓકટોબર 2023 માં પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો.
જેમાં કોટ અંદરના વિસ્તારમાં આવેલ મોટી બજાર રાજગઢી વિસ્તારની મહેશ્વરી સોસાયટીનો પણ અશાંતધારામાં સમાવશે કરવામા આવ્યો હતો. તેમ છતાં અહી વિધર્મી દ્વારા ગેર કાયદેસર રીતે મકાનો તોડી તેની જગ્યા પર નવીન બાંધકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાત્રીના સમયે જેસીબી દ્વારા કામ કરવામાં આવતા સ્થાનિક લોકોને ખલેલ પહોંચતા રાત્રે કામગીરી બંધ રાખવાનું કહેતા પંદર લોકોનું ટોળું આવી સ્થાનિક લોકોને અપશબ્દો બોલી ધાક ધમકીઓ આપી હતી. જેને લઇ અશાંતધારા નું ઉલ્લંઘન રોકવા સ્થાનિક રહીશોએ આ કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવા માટે પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારી ઓને આવેદન પત્ર પાઠવી મકાનો તોડવાની અને નવિન બાંધકામ કરવાની કામગીરી પર મનાઈ હુકમ આપવાની માંગ કરી હતી.
Tags Banaskantha Palanpur