![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પાલનપુર-ન્યુ-01-hed.jpg)
પાલનપુર શહેર રાજપૂત સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર કેન્દ્રીય મંત્રી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુર શહેર રાજપૂત સમાજે પણ અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટીપ્પણીને લઈને રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે પાલનપુર શહેર રાજપૂત સમાજે પણ રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કરી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીપત્ર રદ જ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત રૂપલા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી.