ડીસા પંથકના ગરીબ- મધ્યમ વર્ગના રાશન કાર્ડ ધારકો ખાંડથી વંચિત

બનાસકાંઠા
બનાસકાંઠા

સફેદ ખાંડનો કાળો કારોબાર : તટસ્થ તપાસની માંગ ઉઠી

ગુજરાત સરકાર દ્વારા ગરીબ- મધ્યમ વર્ગને દર મહિને ફ્રીમાં ઘઉં, ચોખા, દાળ, તેલ અને ખાંડ સહિતનો જથ્થો આપવામાં આવે છે ત્યારે આ વખતે ઘઉં ચોખા સહિતનો અનાજનો જથ્થો ડીસાના અનાજ ગોડાઉન દ્વારા તમામ દુકાનદારોને આપવામાં આવ્યો હતો. જો કે ખાંડનો જથ્થો આ વખતે મોડો આવતા ગોડાઉન સંચાલક દ્વારા 24 માર્ચ સુધીમાં તમામ દુકાનદારોને આપી દેવામાં આવ્યો હતો પરંતુ ૯૦ ટકાથી વધુ દુકાનદારોએ આ ખાંડનો જથ્થો ગ્રાહકોને આપ્યો નથી અને બારોબાર આ જથ્થો તેઓએ હડપ કરી નાખ્યો હોવાની લોક રાડ ઉઠી છે.

ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાજ્ય સરકારના અનાજના ગોડાઉન દ્વારા દર મહિને નિયમિત ડીસા શહેર અને તાલુકાના તમામ સસ્તા અનાજની દુકાનદારોને સરકાર દ્વારા આપવામાં આવતો રેશનિંગનો જથ્થો આપવામાં આવે છે આ વખતે ઘઉં ચોખા સહિતનો અનાજનો જથ્થો આવી જતા ગોડાઉન મેનેજર દ્વારા તમામ દુકાનદારોને આ જથ્થો આપી દેવામાં આવ્યો હતો. પરંતુ ખાંડનો જથ્થો મોડો આવતા અનાજ ગોડાઉન દ્વારા 24 માર્ચ સુધી તમામ દુકાનદારોને બાકી રહેલ ખાંડનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો હતો પરંતુ ડીસા શહેર અને તાલુકાના 90 ટકાથી વધુ સસ્તા અનાજના દુકાનદારોએ આ ખાંડનો જથ્થો ગરીબ લોકોને આપવાના બદલે બારોબાર દુકાનદારોએ જ આ જથ્થો હડપ કરી નાખ્યો છે જેથી મોટાભાગના લોકોને ખાંડનો જથ્થો આ મહિને મળ્યો નથી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા એક ટીમ બનાવી સસ્તા અનાજની દુકાનો ઉપર ઓચિંતી તપાસ કરવામાં આવે તો સફેદ ખાંડનો કાળો કારોબાર બહાર બહાર આવવાની શક્યતાઓ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.