ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી અંબાજી ખાતે પહોંચ્યા : આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજીના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી, મંદિર ટ્રસ્ટ દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું: શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે. અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા મા જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી અંબાજી ખાતે પહોંચ્યા હતા.

સવારે રાજ્યના ગૃહમંત્રી અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચી ગ્રહમંત્રી માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર પહોંચતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. માતાજીના દર્શનની સાથે સાથે અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયકના પણ દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રાજ્યના ગ્રહમંત્રી આવતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા. ગ્રહમંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે આજે હેલ્થ કેમ્પમાં હાજરી આપવા આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.