દાંતીવાડા ના ગંગેસ્વર ધામ નજીક સીપુનદી મા ધોમ ધખતા તાપમાં ભગતે કરી કઠોર તપશ્ચર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ગરમી ના પ્રકોપ ને લઈ જન જીવન પ્રભાવીત થવા પામ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક આવેલા ગંગેસ્વર મહાદેવ ધામ નજીક આવેલી સીપુનદી મા રાજસ્થાન ના રાનીવાડા નજીક આવેલા રતનપુર ગામના કેવદારામ ભૂરા રામ ભગતે ધોમ ધખતા તાપમાં બપોરના સમયે પોતાનું શરીર નદીની રેતથી ઢાંકી કઠોર તપશ્ચર્યા કરી હતી.

મળતી માહિતી મુજબ આશરે 60 વર્ષ ની ઉંમર ધરાવતા કેવદારામ ભગત પોતાના પરિવાર મા બે દીકરી અને એક પુત્ર ધરાવે છે. પરંતુ છેલ્લા 15-16 વર્ષ થી રામદેવ પીર ની ભક્તિ મા મન લાગી જતાં સંસાર થી છેટા રહી ભક્તિ કરે છે. ત્યારે અચાનક દાંતીવાડા ના ગંગેસ્વર ધામ ની સીપુ નદી એ આવી પહોંચતા બપોરના સમયે ધોમ ધખતા તાપમાં પોતાના શરીર પર નદી ની રેતી નાંખી શરીર ને ઢાંકી વિશ્વ કલ્યાણ માટે સૂર્ય ભક્તિ કરી હતી. ભગત ની કઠોર તપશ્ચર્યા જોવા લોકો ઉમટી પડયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.