ડીસા તાલુકાના આસેડા ગામના ત્રણેય તળાવ સુકાભઠ તળાવો નર્મદાના નિરથી ભરવાની લોક માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉનાળો આવતા જ પાણીની સમસ્યા વર્તાવા લાગી છે. ત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ પાણીની માંગ વધી રહી છે.તેથી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ગામડાઓના તળાવો નર્મદાના નીર પાઇપ લાઈન દ્વારા ભરવામાં આવી રહ્યા છે.જેમાં જિલ્લાના કેટલાક ગામડાના તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે ત્યારે બીજા ગામડાઓના ગ્રામજનો દ્વારા તેમના તળાવો પણ નર્મદા નીરથી ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

જેમાં ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલ ત્રણ તળાવ પાણી વગર સુકાભઠ ભાસી રહ્યા છે. ગામના ત્રણેય તળાવ ખાલી હોવાના કારણે પાણીના તળ ઘટી રહ્યા છે. હજુ ઉનાળાની શરૂઆતમાં આ પરિસ્થિતિ છે તો આગામી સમયમાં પાણી માટેની પરિસ્થિતિ બદતર થાય તેવી દહેશત ગ્રામજનો સેવી રહ્યા છે.ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે બીજા તળાવોની જેમ અમારા ગામના તળાવો પણ નર્મદા નીરથી ભરવામાં આવે તો ગામની પાણીની સમસ્યા હલ થાય. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે કે પછી પાણી માટેની માંગ ચાલુ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.