![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/જળકુંભી-દૂર-કર્યા-વિના-hed.jpg)
પાલનપુર ગેસ ગળતરની ઘટના : 06 દર્દીઓ પુન;દાખલ ગળામાં તકલીફ લાગતા ફરી સારવાર અર્થે ખસેડાયા
પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં એક ભંગારીના ત્યાં કોઈ કારણસર ગેસ ગળતરની અસર થઈ હતી. જેના પગલે કુલ 82 જેટલા વ્યક્તિઓને તેની અસર થતા 108 ની મદદથી તમામને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં મોટાભાગના દર્દીઓને રજા અપાયા બાદ માત્ર 08 દર્દીઓ સારવાર હેઠળ હતા. ત્યારે 06 દર્દીઓને ફરી ગળામાં તકલીફ થતા તેઓને પુનઃ સારવાર અર્થે ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાલનપુરમાં ગેસ ગળતરની ઘટનામાં 82 અસરગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ માત્ર 08 દર્દીઓને બાદ કરતાં મોટાભાગના દર્દીઓ ને રજા આપવામાં આવી હતી. જોકે, રજા આપ્યા બાદ 06 દર્દીઓને ફરી ગળામાં તકલીફ જણાતા તેઓને પુનઃ સારવાર અર્થે ખસેડાતા હાલ પાલનપુર સિવિલમાં 14 અસરગ્રસ્તો સારવાર તળે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.