![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/મતદાન-જાગૃતિ-માટે-પ્રભાત-હેડ.jpg)
બનાસકાંઠા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરીઓનું આયોજન
નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રભાત ફેરી દ્વારા લોક જાગૃતિ: લોકસભા ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો વધુમાં વધુ જાગૃત થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરવરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગામડાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પ્રભાત ફેરીમાં ફરીને ડોર ટુ ડોર લોકોની મુલાકાત લઈ અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. વધુમાં જે ગામમાં વિચરતી અને વિમુક્ત જાતિનાં લોકો વસવાટ કરતાં હોય તેમને પણ મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સ્વીપ દ્વારા સાયકલ રેલી, બાઈક રેલી, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રાત્રિ સભા, પોસ્ટર પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી