![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/અંબાજી-મંદિર-ટ્રસ્ટ-હેડ.jpg)
અંબાજી મંદિર ટ્રસ્ટ, રાજકોટ ના ગેમઝોન માં બનેલી આગની ઘટના ના પગલે એલર્ટ, સેફટી માટે મોકડ્રિલ યોજવામાં આવી,
રાજકોટના ગેમઝોન માં બનેલી આગની ઘટનામાં ત્રીસ ઉપરાંત લોકો આવા પોતાના જીવ ગુમાવ્યા છે આ બનેલી ઘટના ના પગલે રાજ્યભર માં વહીવટી તંત્ર એક્શન મોડ માં જોવા મળી રહ્યું છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર માં પણ વાર તહેવાર ને પૂનમે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ની સુરક્ષા ને ધ્યાને લઇ રાજકોટ માં બનેલી ઘટના ના પગલે અંબાજી મંદિર માં ગોઠવાયેલી લી ફાયર સેફટી ની સુવિધા ને મોકડ્રિલ કરી ચકાસવામાં આવી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદી તેમજ અંબાજી ના પોલીસ ઇન્સ્પેકટર જી આર રબારી એ મંદિર માં ફરજ બજાવતા gisf મંદિર ગાર્ડ તેમજ પોલીસ કર્મીઓ ને ફાયર સેફટી ને લઇ માર્ગ દર્શન કરાયું હતું અને સાથે જો કોઈ હોનારત સર્જાય તો તેવા સમય એલર્ટ રહેવા સાથે કઈ રીત ની કામગીરી કરવી તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા એટલુંજ નહિ મંદિર માં ગોઠવેલી ફાયર સેફટી ની સાધન સામગ્રી થી આગ ઉપર કેવી રીતે કાબુ મેળવવો તેની મોકડ્રિલ યોજી માર્ગ દર્શન કરાયું હતું આ મોકડ્રિલ માં મંદિર ના સુરક્ષા કર્મીઓ સાથે મંદિર ના અન્ય સ્ટાફ ને પણ આ બાબત થી વાકેફ કરવામાં આવ્યા હતા.
Tags Ambaji Banaskantha Palanpur