![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/કાંકરેજ-તાલુકા-રાજપૂત-01-hed.jpg)
કાંકરેજ તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવા માટે આવેદનપત્ર આપી માંગ કરી
લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે હર્ષોલ્લાસ પૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે તો ક્યાંક સામાજિક પ્રસંગો પર નેતાઓ ની હાજરી જોવા મળે છે ત્યારે હવે થોડા દિવસ પહેલાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ રાજપૂત સમાજ માટે એક સામાજિક કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય અંગ્રેજો સાથે રોટી અને બેટી ના વ્યહવાર રાજાઓ એ કર્યા છે એવું બોલતાં સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ માં ભારે રોષ ફેલાયો છે. અને હવે ઠેર ઠેર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા તાલુકા મામલતદાર અને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ને પુરષોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવાની માંગ કરી રહ્યા છે.
ત્યારે હવે કાંકરેજ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહાકાલ સેના કાંકરેજ. શ્રી કાંકરેજ યુવા રાજપૂત સંગઠન. શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ અને શ્રી રાજપૂત કરણી સેના કાંકરેજ સહીત અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે હવે જેમ જેમ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હવે રૂપાલા ની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા રોષ ફાટી નીકળ્યો છે . પરંતું હવે ગુજરાત ના રાજપૂત સમાજના રોષ ને રોક લગાવવામાં મોદી સરકાર કેટલી સફળતા મેળવશે અને ભાજપ સાથે રાજપૂતો ને કોઇ વિરોધ નથી પરંતુ ફકત પુરષોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવા માટે જ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની ને મેદાને ઉતર્યા છે ત્યારે ભાજપ પ્રમુખ સહિત મોટા ગજાના નેતાઓ એ પણ ચુપકીદી સેવી લીધી છે.