ગુરૂ બ્રાહ્મણ સમાજના ૧૩માં સમૂહ લગ્નમાં પિતા પુત્રએ દેહદાન કરવાની જાહેરત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ : દેવ કાલેટ પાંથાવાડા)

રામપુરા (પાંસવાળ) ના બંને પિતા પુત્ર એ સમુહ લગ્ન મા અનોખું દાન કર્યુ: પાલનપુર તાલુકાના પારપડા મા આવેલી માવતર વાડી મા ગુરૂ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં ગુરૂ બ્રાહ્મણ સમાજના ૧૩મા સમુહલગ્ન મા ૨૭ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ પ્રસંગે પાલનપુર વિધાનસભા ના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ગુરૂ બ્રાહ્મણ સમાજના પ્રમુખ અરવિંદભાઈ ચોરસિયા ની ઉપસ્થિતિ મા દાંતીવાડા ના રામપુરા (પાંસવાળ) ના વતની શ્રીમાળી શૈલેષ કુમાર નાથાભાઈ તેમજ તેમના પુત્ર શ્રીમાળી ક્રિશ કુમાર શૈલેષભાઈ એ દેહદાન કરવાની જાહેરત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે તેઓ બંને પિતા પુત્ર નુ આયુષ્ય પુર્ણ થાય ત્યારે તેમના પાર્થિવ દેહ ને સમાધિ અથવા અગ્નિ સંસ્કાર ન કરતાં કોઈ અન્ય જીવિત વ્યક્તિ ને ઉપયોગ થાય તે હેતુ થી હૉસ્પિટલ મા દેહદાન આપવાની જાહેરત કરી હતી. દેહ દાન કરવાની ની જાહેરાત ને લઈ સમગ્ર ગુરૂ બ્રાહ્મણ સમાજે ખૂશી વ્યક્ત કરી હતી. અને આવનાર સમય મા અન્ય લોકો દેહદાન કરવા પ્રેરાય તેવી રાહ ચીંધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.