થરાદમાં જાહેરમાર્ગ પર ઉભરાતી ગટરથી રહીશો પરેશાન મામલતદારના રહેઠાણ નજીકની સ્થિતીથી છતાં તંત્ર નિંદ્રામાં

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં મામલતદાર કચેરીના રહેઠાણ નજીકન ઉભરાતા ગંદાપાણીને લઇને રહીશો પરેશાન થઇ ઉઠ્યા છે. જો કે તંત્રની ઉદાસિનતાને પરિણામે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઉઠવા પામી છે. થરાદમાં મામલતદારના રહેઠાણ નજીક આવેલા જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણીની રેલમછેલને લઇને રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તા પર ગટરના રેલાતા ગંદા પાણીને લઇને રહીશોએ જણાવ્યું હતું કે રાહદારીઓને અવરજવરમાં પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તેમ છતાં પણ સ્થાનિક તંત્ર નિંદ્રાધિન જોવા મળી રહ્યું છે.જાહેર રસ્તાની આજુબાજુ રહેતા લોકોમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિને લઇને રહીશોમાં પણ ચિંતાભરી દહેશતની લાગણી પ્રસરવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.