ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં ગટરનું પાણી ભરાઈ જતા મકાનની દિવાલ તૂટી પડી

બનાસકાંઠા
બનાસકાંઠા

મકાન માલિક ને મોટી નુકસાની, સદનસીબે જાનહાની ટળી: ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ભરાવાના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઇ હોવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં જ પરિવારને મોટું નુકસાન થયું છે

ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રાવળ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના મકાનની બાજુમાં જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેના માટે તેમને સ્થાનિક નગરસેવકો સહિત તંત્રને અવાર નવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ ગંદા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન થતા અને સતત પાણી ભરાઈ રહેવાના કારણે તેમના મકાનની દીવાલો નબળી પડી ગઈ હતી. તે દરમિયાન આજે અચાનક તેમના મકાનની દીવાલ ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી, પરંતુ મકાન પડી જતાં રાવળ પરિવારની હાલત કફોડી બની ગઈ છે.

ડીસાના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રાવળ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના મકાનની બાજુમાં જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેના માટે તેમને સ્થાનિક નગરસેવકો સહિત તંત્રને અવાર નવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ ગંદા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન થતા અને સતત પાણી ભરાઈ રહેવાના કારણે તેમના મકાનની દીવાલો નબળી પડી ગઈ હતી. તે દરમિયાન આજે અચાનક તેમના મકાનની દીવાલ ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી, પરંતુ મકાન પડી જતાં રાવળ પરિવારની હાલત કફોડી બની ગઈ છે.

આ અંગે મકાનમાલિક હંસાબેન રાવળે જણાવ્યું હતું કે, અમે 15 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી ગંદુ પાણી ઘરની બાજુમાં જ ભરાઈ રહે છે. જેના માટે અમે અનેકવાર રજૂઆત કરી હતી પણ પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતાં આજે મકાન પડી ગયું છે અને મકાન પડી જતા મોટું નુકસાન થયું છે. હવે આવા સમયમાં અમારે બાળકોને ભણાવવાનો ખર્ચ કરવો કે પછી મકાન બનાવવો એટલે સરકારને અમારી વિનંતી છે કે અમને કોઈ સહાય આપે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.