![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-બિહારીબાગથી-hed.jpg)
પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરીના માર્ગ પર અકસ્માતની ભિતી
પાલનપુર બિહારી બાગ થી હનુમાન ટેકરી જતા નેશનલ હાઈવે પર ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માતની દહેશત સેવાઇ રહી છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે નિરીક્ષણ કરી રોડને સમતળ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
અવારનવાર પાલનપુર થી અમદાવાદ હાઈવે પરના માર્ગ પરની સમસ્યાઓ સામે આવતી હોય છે. તે જ રીતે પાલનપુર બિહારી બાગ થી હનુમાન ટેકરી જતા માર્ગ પર રોડના વચ્ચોવચ ડામરના ગઠ્ઠા જામી જતા રોડ ઉબડખાબડ થઈ ગયો છે. જેના કારણે આબુરોડ થી હનુમાન ટેકરી તરફ જતા વાહનો આ ઉબડ ખાબડ માર્ગ ઉપરથી પસાર થાય તો અકસ્માત થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. આ માર્ગ પરથી નેશનલ હાઈવે ઓથોરિટી ની ઓફિસ આવેલી છે. જેથી અધિકારીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થતા હશે તેમ છતાં આ બાબતની કેમ ગંભીરતા નથી લેવાતી તે પણ એક મોટો પ્રશ્ન છે તો કોઈ દુર્ઘટના સર્જાય કે ગાડી પલટી ખાઈ જાય તે પહેલા તંત્ર દ્વારા આ દિશામાં ઘટતું કરી રોડને સમતલ કરવામાં આવે તેવું સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો માંગ ઉઠવા પામી છે.