પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ના એએસઆઈનો વિદાય સમારંભ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વર્ષ 1989 માં ભરતી થઈ 35 વર્ષની નોકરી પૂર્ણ કરી 2024 માં નિવૃત્ત થયા

પોલીસ ખાતામાં સારીકામગીને લઇ 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ 35 વર્ષની નોકરી પૂર્ણ કરી 58 વર્ષે નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

પાલનપુર તાલુકાના ધાણધા ગામ ના વતની અને વર્ષ 1989 માં પોલીસ ખાતામાં ફરજ ઉપર લાગેલા ઐયુબખાન. કે.ઘાસુરા પોલીસની અનેક બ્રાન્ચ તેમજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. જેમની કામગીરીને જોઈ વર્ષ 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રકથી તેમને નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2024 માં પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. જેમને 35 વર્ષની નોકરી પૂર્ણ કરી 58 વર્ષે નિવૃત્ત થતાં તેમનો પાલનપુર હાઇવે સ્થિત આવેલ એક હોટલ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ,પીએસઆઇ, એએસઆઈ તેમજ પોલીસ સ્ટાફના માણસો તેમજ સગા સંબંધી અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી તેમને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનો ભાવ ભર્યું સન્માન કરી વિદાઇ આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.