ડીસા ગાયત્રી શક્તિપીઠ ના પરીજનો એ મુંબઈ અશ્વમેઘ મહાયજ્ઞ માં હાજરી આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ : નરસિંહ દેસાઈ વડાવલ)

મહાયજ્ઞમાં આહુતિઓ અર્પણ કરતા વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થનાઓ કરી 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન અશ્વમેઘ મહાયજ્ઞ નું આયોજન થયું

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા મુંબઈના ખારઘર વિસ્તારમાં કોપરેટર મેદાન ખાતે 47 માં અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કર્યું છે જેમાં વિશ્વભરમાંથી સાધકો  અશ્વમેઘ મહાયજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ડીસા ગાયત્રી શક્તિપીઠ દ્વારા પણ હા અશ્વમેઘ યજ્ઞમાં ભાગ લેવા માટેનું આયોજન કરાયું હતું જેમાં ડીસાનગરના 40 જેટલા સાધકો એક સાથે જઈ મુંબઈના અશ્વમેઘ મહાયજ્ઞ મા ભાગ લીધો હતો મહા યજ્ઞ માં દરેક સાધકોએ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ ની પ્રાર્થનાઓ કરી હતી

આ ઉપરાંત અશ્વમેઘ આયોજનમાં વિવિધ પ્રદર્શનની ઉપરાંત સાહિત્ય સ્ટોલ ની પણ મુલાકાત લીધી હતી 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન અશ્વમેઘ મહાયજ્ઞનુ વિરાટ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના ખૂણે ખૂણે અને વિદેશમાંથી પણ અનેક લોકો હાજરી આપી રહ્યા છે ત્યારે મહાયજ્ઞમાં વ્યસનમુક્તિ અભિયાન, સ્ત્રી સશક્તિકરણ, સહિત ના અનેક સ્ટોલો આકર્ષણ જમાવી રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.