અંબાજી પંથકમાં ગરમી ના કારણે કન્સ્ટ્કશન ની ચાલતી સાઈડો માં સન્નાટો, સરકારી ઓફિસોમાં પણ ટેબલો ખાલી જોવા મળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી પંથકમાં અસહય ગરમી ના કારણે કન્સ્ટ્કશન ની ચાલતી સાઈડો માં બપોર ના સમય સન્નાટો, સરકારી ઓફિસોમાં પણ ટેબલો ખાલી જોવા મળ્યા: રાજ્યમાં છેલ્લા ચાર દિવસ થી ગરમી નો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ગરમી નો પારો 45 થી 46 ડિગ્રી એ પહોંચ્યો હતો ત્યારે આજે 43 થી 44 ડિગ્રી નું તાપમાન અંબાજી પંથક માં જોવા મળી રહ્યું છે જોકે આ અસહય ગરમી ના કારણે કન્સ્ટ્કશન ની ચાલતી સાઈડો માં પણ બપોર ના સમય સન્નાટો જોવા મળી રહ્યો છે.

સરકારી ઓફિસો માં પણ ટેબલો ખાલી જોવા મળ્યા હતા તો ક્યાંક સરકારી કચેરીઓ આગળ ઠંડક માટે પાણી નો છટકાવ પણ કરવામાં આવી રહ્યો હતો. જોકે હાલ તબક્કે હીટવેવ ની સલામતી અંતર્ગત તકેદારી ના ભાગરૂપે રાજ્યસરકાર દ્વારા ગરમીના પ્રકોપ થી બચવા સંબધિત અધિકારીઓ ને સૂચન પણ કરાયા છે.

જેમાં ખાસ કરીને ચાલુ કન્સ્ટ્કશન સાઈડ મનરેગા સાઈડ તેમજ અન્ય જગ્યા જ્યાં શ્રમિકો કામ કરતા હોય તેવી જગ્યા એ બપોર ના 12 વાગ્યા થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે વેતન કપાત ન કર્યા વગર કામગીરી લેવા આદેશ કરવામાં આવ્યા હોવાનુ. સિદ્ધિવર્મા (પ્રાંત અધિકારી)દાંતા એ જણાવ્યુ છે.

જોકે આજે શ્રમિકો ને ગરમી ના કારણે કામગીરી થી રાહત આપતા શ્રમિકો છાંયડા નો સહારો લેતા નજરે પડયા હતા તો કેટલાક શ્રમિકો ને સમય મળી જતા પોતાના કામે સરકારી કચેરીઓ માં પણ જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.