સુકા ધાસચારા ના ઉંચકાયા : બનાસકાંઠા જિલ્લામાં બાજરી ના સુકા ધાસચારા ના પુળાના ભાવ માં પણ વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

બાજરી લેવા ની સીઝનના ટાંકણે સુકાપુળા ના ભાવ ઉચકાતા પશુપાલકોની વિકટ પરિસ્થિતિ

સિઝન માં બાજરી ના પુળા ના આટલા ઉંચા ભાવ ક્યારેય જોવા મળ્યા નથી : ખેડૂતો

પાણી ની અછત અને હવામાન બદલાતી અસર થી  ધાસચારા નો ઉંચો ભાવ હોવાનું કારણભુત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝન લેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બાજરી ના સુકા ધાસચારા ના પુળા ના ભાવ માં પણ વધારો થતાં પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે દર વર્ષ કરતા આ વર્ષે સુકા ધાસચારા ના પુળા ની  ખુબ માંગ ઉભી થતાં ભાવ માં પણ વધારો થયો છે સામાન્ય રીતે સિઝન દરમિયાન એક પુળા નો ભાવ ૧૫ થી ૧૮ રૂપિયા આસપાસ રહેતો હતો પરંતુ આ વર્ષ બાજરી ના પુળા નો ભાવ ૨૨ થી ૨૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારે આવનાર સમય માં બાજરી ના સુકા પુળા નો ભાવ કેટલે પહોંચશે તેને લઇ ને પણ પશુપાલન વ્યવસાય કરનાર પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે જેને લઇ સિઝન ની શરૂઆત માંજ ખેડૂતો અને પશુપાલકો સુકા ધાસચારા નો સંગ્રહ કરવા લાગી ગયા છે.

ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે બાજરીનો વાવેતર વિસ્તાર પણ ઘટયો: બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સિઝન દરમિયાન મોટેભાગે બાજરીનું વાવેતર થતું હોય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી બાજરીના પાક નો વાવેતર વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે જેથી દર વર્ષે સુકા ધાસચારા ના ભાવ માં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

જળ સંકટ ની સમસ્યા દિવસે ને દિવસે ધેરી બની રહી છે: બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ માં પાણી નો આવરો ઓછો થતા દર વર્ષે જિલ્લામાં જળસંકટ રહે છે ભુગર્ભ જળ માં પણ ધટાડો નોંધાઇ રહ્યો છે જેની સીધી અસર કૃષિક્ષેત્રે પડતાં ચાલુ સિઝનમાં ઘાસચારાની મોટી માંગ ઉભી થવા પામી છે.

ઉનાળુ સીઝનમાં બાજરીની સાથે અન્ય પાકો તરફ ખેડૂતો વળ્યા: બનાસકાંઠા જિલ્લામાં મોટેભાગે ઉનાળુ સીઝનમાં બાજરીનું વાવેતર થતું પરંતુ ઘટતા જતા ભૂગર્ભજળ અને બાજરી ના પાક માટે મજુર વર્ગ ની અછત સહિત ના અનેક કારણોસર ખેડૂતો બાજરી ના પાક બદલે અન્ય પાકો તરફ વળી રહ્યા છે જેમાં શક્કરટેટી તરબૂચ અને મગફળીનું વાવેતર કરવા લાગતા બાજરીનું વાવેતર દર વર્ષે ક્રમસ ધટતુ જઇ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.