![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ડો..jpg)
રામ મંદિર બાદ હવે ગૌ હત્યા બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ડો.તોગડીયા
ડો.પ્રવિણ તોગડીયા બન્યા પાલનપુરના મહેમાન દેશમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિંદુ જન જાગરણ અભિયાન છેડાશે
રામ મંદિર બાદ હવે ગૌ હત્યા બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ડો.તોગડીયા: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા પાલનપુરના મહેમાન બન્યા હતા. જેઓએ રામ મંદિર બાદ ગૌ હત્યા બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દેશભરમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિંદુ જન જાગૃતિ સાથે હિંદુ સેવાનું અભિયાન લઈને નીકળેલા આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયા આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. તેઓએ શ્રી કંથેરિયા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ એ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા આહવાન કર્યું હતું. તેઓએ દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિંદુ જન જાગૃતિ સાથે હિંદુઓને રોજગાર સહિતની સેવાઓ મળી રહે તે માટે અભિયાન છેડયું હોવાનું જણાવ્યું હતું.
દેશમાં ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાનું સન્માન થાય તેવી લાગણી વ્યક્ત કરતા ડો. તોગડીયાએ રામ મંદિર બાદ હવે ગૌ હત્યા પણ બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી કંથેરિયા હનુમાન મંદિરથી નીકળી ડો.તોગડીયા ઢુંઢીયાવાડી માલ ગોડાઉન પાછળ મીરાં આઉસક્રીમ વાળા કોમલભાઈ અગ્રવાલના નિવાસ સ્થાને પહોંચી કાર્યકરો સાથે ભોજન લીધા બાદ ડીસા જવા રવાના થયા હતા.