12 કિલો 842 ગ્રામ ચાંદીનું દાન મા અંબાના મંદિરમાં અર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનનું ત્રિવેણી સંગમ ગણાતુ મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામે માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવવા હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો દરરોજ અંબાજી આવતા હોય છે. માઈભક્તો પોતાના શ્રદ્ધા અને આસ્થા અનુસાર મા અંબાના મંદિરમાં દાન પણ કરતા હોય છે. આ દાનમાં રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના પણ માને અર્પણ કરતા હોય છે. અંબાજી મંદિરમાં અનેકો ભક્તો દ્વારા સોના ચાંદીના આભૂષણો સહિત રોકડ રકમ દાનમાં આપી રહ્યા છે. ત્યારે મુંબઈના એક ભક્તે ચાંદીનું દાન મા અંબાના મંદિરમાં કર્યું હતું.

મુંબઈના એક માઇભક્તે મા અંબાના મંદિરમાં ચાંદીના ચોરસા 17 નંગ દાન સ્વરૂપ ભેટ આપી હતી. આ ચાંદીના ચોરસાઓનું કુલ વજન 12 કિલો 842 ગ્રામ હતું. જેની કિંમત 9 લાખ 24 હજાર 600 રૂપિયા હતી. મા અંબાના મંદિરમાં સાંજની આરતી બાદ મુંબઈના એક માઇભક્તે માતાજીના મંદિરમાં ચાંદીના ચોરસા દાન સ્વરૂપ ભેટ આપ્યા હતા અને પોતાનું નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો.

અનેકો માઈભક્તો મા અંબાના મંદિરમાં સોના ચાંદીનું દાન ભેટ કરી રહ્યા છે. જેમાં અનેકો માઇભકતો પોતાની શ્રદ્ધા અને આસ્થાને લઈને દાન કરી રહ્યા છે. ત્યારે અમુક માઇ ભક્તો પોતાની બાધા પૂર્ણ થતા તે દાન સ્વરૂપ ભેટ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ત્યારે મા અંબાનું મંદિર જય જય અંબેના નાદ સાથે ગુંજ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.