![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/07-13.jpg)
સિદ્ધપુરના ભક્તોએ માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવ્યો : માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
અરવલ્લીની ગિરિમાળામાં વિરાજમાન મા જગતજનની અંબાનું ધામ વિશ્વ વિખ્યાત છે. ત્યારે મા અંબાનું આ ધામ એક ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. દેશ-વિદેશથી માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી આવી પહોંચ્યા છે. ત્યારે દરરોજ અંબાજીમાં માઇભકતો આવી મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. મા અંબાના મંદિરમાં માતાજીને વર્ષમાં અનેકવાર અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે. ત્યારે આજે બપોરે મા અંબાના નિજ મંદિરમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં મા જગદંબાને આજે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સિધ્ધપુરના ભક્તોએ આજે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવ્યો હતો. ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરાઈ હતી. માતાજીની અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં માઇભક્તોએ જોડાઈ અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો. ત્યારે માતાજીના જય ઘોષ સાથે મા અંબાનું મંદિર ગૂંજી ઉઠ્યું હતું.