![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ધાનેરામાં-એસ.jpg)
ધાનેરામાં એસ.ટી તંત્ર નું ઓરમાયું વર્તન નબળી નેતાગીરી જવાબદાર છેલ્લા બે વર્ષમાં લોકલ 20 ટ્રીપ અને એક્સપ્રેસની 5 ટ્રીપ થઈ બંધ
સોનાના ઇંડા આપતી મરઘી જેવી આવક વાળી બસો બંધ થતાં અચરજ: ધાનેરા તાલુકામાં છેલ્લા બે વર્ષનો 15 લોકલ અને 5 એક્સપ્રેસ બંધ કરવામાં આવી હતી. જ્યારે એક બાજુ થરાદ ડેપો માં 40 નવીન બસો ફળવાઈ તો છતાં. ધાનેરા ને એક નવો પણ રૂટ ન મળ્યો રાજસ્થાન તરફના અનેક રૂટ બંધ થતાં રાજસ્થાની મુસાફરો રઝળતા થયા. તથા ધાનેરા તાલુકાના લોકલ ગામડાઓની બસો બંધ થતાં લોકો પ્રાઇવેટ વાહનોમાં જવા મજબૂર નવા ડેપો ના સપના બતાવતા નેતાઓ જુના રૂટ પણ યથાવત ન રાખવી શક્યા.
વિકાસ ની વાતો વચ્ચે એસ.ટી ના અનેક રૂટ બંધ થતાં મુસાફરોમાં કચકચાટ, અરજણભાઈ પાણી પુરવઠા મંત્રી હતા તે દરમિયાન દ્વારકા પાલીતાણા સુરેન્દ્રનગર બસો ચાલુ હતી તે તેમનો કાર્યકાળ પૂરો થતાં બંધ કરવામાં આવી હતી જ્યારે હાલમાં નબળી નેતાગીરી મળતા ધાનેરા એસ.ટી તંત્ર ની મનમાની થી. ધાનેરા ની જનતા ને અન્યાય થઈ રહ્યો છે.