દાંતીવાડા-મોટી મહુડી રોડની વરવી દુર્દશાથી વાહનચાલકો ત્રાહિમામ બન્યા માર્ગોની હાલત બિસ્માર

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના મોટી મહુડીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે. જેમાં માર્ગ પર ઠેરઠેર કપચી પણ ઉખડી ગઈ છે. જેને કારણે માર્ગ ઉબડ-ખાબડ બની ગયો છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મોટી મહુડી થી નરભેનાથ મહાદેવ મંદિરને જાેડતા માર્ગની હાલત ઉબડ-ખાબડ બની ગઈ છે. જેને કારણે દર્શને આવતા શ્રાદ્ધાળુઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેમાં તેની આજુબાજુના ત્રણ ચાર ગામના વિદ્યાર્થીઓ ભણવા માટે નજીકના પાંથાવાડામાં જાય છે.

જેને કારણે આ માર્ગ પરથી દરરોજ તેમની અવરજવર રહેતી હોય છે. ત્યારે માર્ગ પરથી પસાર થતાં વિદ્યાર્થીઓ અને ભરેલી રિક્ષાઓ પણ અકસ્માતના ભયે અવરજવર કરતી હોય છે. આ રોડ પરથી કપચી પણ ઉખડી ગઈ છે. જેથી માર્ગ પર ઠેક-ઠેકાણે મોટા ખાડા પડી ગયા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેને કારણે દૂધ ભરાવા જતા પશુપાલકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં આ માર્ગ ખખડધજ હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં ઘણો સમય લાગી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ માર્ગની હાલત બિસ્માર બની જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે અંગે તંત્ર દ્વારા અવાર-નવાર શહેરના માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ગામડાઓના માર્ગો પર ધ્યાન આપવામાં આવતું નથી. જેને કારણે ગામડાઓના માર્ગોની હાલત બિસ્માર બની જાય છે ત્યારે સત્વરે મોટી મહુડી ગામના માર્ગનું સમારકામ કે નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઊભી થવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.