![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/કોંગ્રેસના-ઉમેદવાર-હેડ.jpg)
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
જનાધાર ગુમાવનાર ભાજપે ફોર્મ રદ કરાવવા કર્યા ધમપછાડા
વકીલોની ફોજ ઉતારી વાંધા વચકા કાઢ્યા: ચૂંટણી પંચનો આભાર માનતા ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા લોકસભા સીટ પર 24 ઉમેદવારીપત્ર ભરાયા હતા. જે ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા ભારે ધમપછાડા કરાયા હોવાના આક્ષેપો ગેનીબેન ઠાકોરે કર્યા હતા.
બનાસકાંઠા લોકસભા સીટ પર 17 ઉમેદવારોએ 24 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેની આજરોજ ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપ દ્વારા કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ઉમેદવારીફોર્મ રદ કરાવવા વકીલોની ફોજ ઉતારી વાંધા વચકા કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્રને દબાવવાના ભાજપના પ્રયાસને જોતા ભાજપે જનાદેશ ગુમાવી દીધો હોવાના આક્ષેપો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યા હતા.
જોકે, ભાજપે પૈસાના જોરે કે પ્રલોભનો આપી અપક્ષોને મેદાન માં ઉતાર્યા છે. જેઓ કોંગ્રેસ ને નુકસાન પહોંચાડવા વ્યક્તિગત સ્વાર્થમાં ઉમેદવારી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ગેનીબેન ઠાકોરે કર્યા હતા.
જોકે, ભાજપના ધમપછાડા છતાં કોંગ્રેસના પોતાનું ઉમેદવારી ફોર્મ માન્ય ઠરતા તેઓએ ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો.