ધાણધા ગામની પરણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

પરણીતાની દીકરીઓને સાસરીયા પક્ષ દ્વારા લઈ ઘરમાંથી કાઢી મૂકી: પાલનપુર તાલુકાના ધાણધા ગામ ની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વડગામ તાલુકાના સલેમકોટ ગામ ના જશીબેન રાવળ ના લગ્ન પાલનપુર તાલુકાના ધાણધા ગામના વતની નિતેષભાઇ સાથે થયા હતા. પતિ સુરત ખાતે ધંધાર્થે રહેતા હોવાથી પરણીતા સુરત રહેવા ગઈ હતી. દરમિયાન તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. ત્યાર બાદ પરણીતાને પતિ સહિત સાસુ, જેઠ, જેઠાણી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.  પતિ તેને સુરત પણ લઈ જતા ન હતા. અને શંકા વહેમ રાખતા હતા.જેથી પરણીતાએ સુરત લઈ જવાની જીદ કરતા સાસુ, જેઠ અને જેઠાણી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી તેની દીકરીઓને લઈ પરણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરણીતા જશીબેન રાવળે પતિ નિમેષભાઈ હાથીભાઈ વડનાથાણી રહે.સુરત, દિનેશભાઈ હાથીભાઈ વડનાથાણી, મધુબેન દિનેશભાઈ વડનાથાણી અને દીવીબેન હાથીભાઈ વડનાથાણી ત્રણે રહે ધાણધા તા.પાલનપુર સામે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.