![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/પાલનપુર-શાખા-દ્વારા-02-hed.jpg)
પાલનપુર શાખા દ્વારા ચોરાસણ પ્રાથમિક શાળા માં વનવાસી કાર્યક્રમની ઉજવણી
ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા ચોરાસણ પ્રાથમિક શાળામાં વનવાસી કાર્યક્રમની ઉજવણી અંતર્ગત બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવી ૩૪૫ જેટલા બાળકો ને ખજૂર અને સ્કુલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું અને ભોજન આપવામાં આવ્યું હતું. બાળકો-પરિવાર જનો ને કપડા આપવામાં આવ્યા. બાળકો એ પાણીપુરી નો સ્વાદ પણ માણ્યો અને બધા એ આદિવાસી નૃત્ય ની મજા પણ લીધી.
સમગ્ર કાર્યક્રમ સંયોજક રાજેશ ભાઈ મોદી અને સહ સંયોજક શ્રીમતી પૂનમબેન મોદી દ્વારા શાખા પ્રમુખ ડો. મિહિર પંડ્યા માર્ગદર્શન હેઠળ શ્રી તરસંગ વીર બાપજી મંદિર પ્રાગણ માં યોજાયો હતો. આ કાર્યક્રમ માં શાખાના સભ્યો હોદ્દેદારો, મહિલા પાંખ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સંસ્થા નો આભાર માનવા માં આવ્યો હતો.