ધાનેરામાં આજે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા ને નહેરનું પાણી હાલ મળી શકશે નહિ.પરંતુ પાઇપ લાઈન દ્વારા તળાવો ભરી રિચાર્જ કરાશે

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે.ત્યારે આજે ભાજપના બનાસકાંઠા લોકસભાના ધાનેરા તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ રાણાભાઇ દેસાઈ,ભગવાન ભાઇ પટેલ,પંકજ ભાઇ,હરજીવનભાઈ પટેલ,સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ધાનેરા નગર પાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ ગણેશભાઈ કાગ 10 જેટલા સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો .ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સાંસદ પરબતભાઈ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાના ખેડૂતો માટેનો સિંચાઈનાં પાણીનો મુખ્ય પ્રશ્ન છે તેમાં આ વિસ્તારમાં નહેર આપવાની તો હાલ કોઈ યોજના નથી પરંતુ પાઇપલાઇન દ્વારા તળાવો ભરી રિચાર્જ કરવામાં આવશે જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.