દાંતા તાલુકાના લાટોલ ગામે 68 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને ઉજ્જ્વલા યોજનાનો સ્થળ પર લાભ અપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે દાંતા તાલુકાના લાટોલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ દ્વારા સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.


રથ દ્વારા ગામમાં કુલ 321 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 68 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 04 લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા. તેમજ નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી. બી.ના 45 દર્દીઓ અને સિકલસેલ એનીમિયાના 27 દર્દીઓ સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા. 87 જનરલ લાભાર્થીઓ સહિત 344 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે ગામના તલાટી, સરપંચ, આંગણવાડી કાર્યકર બહેનો, મેડિકલ સ્ટાફ, ગ્રામસેવક સહિતના કર્મચારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરણા પુરી પાડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.