ડીસાના સંભવનગરમાં રહેણાંક મકાનમાં બીજા માળે આકસ્મિક આગ લાગી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ત્રણ હનુમાન મંદિર પાસે આવેલા સંભવનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઈ હતી. આગમાં ઘરવખરી બળીને ખાક થઇ જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું.ડીસાની સંભવનગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ મિસ્ત્રીના મકાનમાં આજે આકસ્મિક આગની ઘટના સર્જાઈ હતી. મકાનના બીજા માળે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ મકાન માલિક ઘરની બહાર દોડી આવી જાણ કરતા આજુબાજુના લોકોએ પણ બનાવસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


આગની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં જ યુજીવીસીએલ કર્મચારીઓ સહિત ફાયર ફાયટરની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ જતાં મકાન માલિકને મોટું નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસ કરતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.