અંબાજી મંદિર ટ્રસ્ટે સુવર્ણમય કામગીરી માટે માઇભક્ત દ્વારા આપેલો 8 લાખનો ચેકમાતાજીના ચરણોમાં અર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી મંદિરની સુવર્ણમય કામગીરી માટે દાન અપાયું:કડીના માઈભક્ત ભાર્ગવરાજ પટેલ દ્વારા રૂપિયા 8 લાખનો ચેક માતાજીના ચરણોમાં અર્પણ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું અને રોકડ રકમનું પણ દાન આપી રહ્યા છે.

આજે અંબાજી મંદિરને સુવર્ણમય કામગીરી માટે દાન આવ્યું છે. કડીના માઈભક્ત ભાર્ગવરાજ પટેલ દ્વારા રૂપિયા 8 લાખનો ચેક અર્પણ કરાયો છે. ભાર્ગવરાજભાઈએ મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેકટરને રૂપિયા 8 લાખનો ચેક અર્પણ કર્યો હતો. શ્રદ્ધાળુઓ મંદિરની સુર્વણમય કામગીરી માટે સોનાની લગડી તેમજ રોકડ નાણાં પણ અર્પણ કરતા હોય છે. ત્યારે આજે અંબાજી મંદિર ટ્રસ્ટે સુવર્ણમય કામગીરી માટે માઇભક્ત દ્વારા આપેલો 8 લાખનો ચેક સ્વીકાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.