પાલનપુરનું એગોલા ગામ ચૈત્રી પૂનમે બની જાય છે વેરાન 1965થી ચાલી આવે છે પરંપરા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાનું એગોલા એક એવું ગામ છે કે જ્યાં ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાં દરેકના ઘરે તાળા હોય છે. ગામના તમામ લોકો પોતાના ધંધા રોજગાર અને ઘરના તાળા મારી અને આ દિવસે ઘરની બહાર નીકળી જાય છે. વર્ષો જૂની માન્યતા પ્રમાણે એગોલા ગામ ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં એકઠું થાય છે અને ત્યાં માતાજીનો નૈવેધ બનાવે છે અને માતાજીને ધરાવે છે. ત્યારે ગામની બહાર વસતા લોકો પણ આ દિવસે મહાકાળી માતાજીના મંદિરમાં આવે છે અને માન્યતા પ્રમાણે આવું કરવાથી ગામની સુખ શાંતિ જળવાઈ રહે છે.બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એગોલા ગામમાં પ્રવેશીએ એટલે તમને ગામ આખું સુમસામ જોવા મળે છે. દરેકના ઘર પર તાળા મારેલા હોય છે અને દરેક લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામના તમામ જ્ઞાતિના લોકો પરિવાર સાથે ભેગા થાય છે.


વર્ષો પહેલા ગામમાં કોઈ એવા રોગે ભરડો લીધો હતો અને ત્યારબાદ ગામના પંડિત અને વડીલોએ ભેગા થઈ અને ગામને અલગ જગ્યાએ વસાવ્યું હતું, પરંતુ આ રોગ મટવાનું નામ ન લેતો હતો અને લોકો ટપોટપ મરતા હતા. ત્યારબાદ ગામના પૂજારી અને વડીલોએ ગામમાં ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં જઈ અને પ્રાર્થના કરી અને આરાધના કરી અને ત્યારબાદ પૂજારીએ કહ્યું કે આખું ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે એકઠું થઈ અને સારા મૂર્હૂતમાં ઘરની બહાર નીકળી જાય પોતાના ધંધા રોજગાર બંધ રાખે અને ગામથી થોડે દુર આવેલા મંદિરમાં નૈવેદ બનાવીને માતાજીને ચડાવે તો આ રોગ મટે..એવી માન્યતા પ્રમાણે 1965થી આ પ્રથા ચાલી આવે છે અને એગોલા ગામના તમામ ગ્રામજનો પોતાના પરિવાર સાથે મહાકાળી માતાજીના મંદિરમાં જાય છે અને ત્યાં ખીર અને સુખડીનો નૈવેદ બનાવે છે અને માતાજીને ચડાવે છે. સવારે લોકો સારા મૂર્હુતમાં એગોલા ગામથી બહાર નીકળી જાય છે અને સાંજે સારા મુર્હુતમાં પછી ગામમાં પ્રવેશે છે.


આ દિવસે તમામ ધંધા રોજગાર નોકરી નાના મોટા વ્યવસાય પણ બંધ રાખી અને ગામની અંદરના અને ગામની બહાર રહેતા લોકો પણ માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને આ પ્રથા પ્રમાણે પોતાની માન્યતા જાળવી રાખે છે. જે બાદ આ ગામમાં સુખ શાંતિ જળવાઈ રહી છે અને રોગે દેખા દીધી નથી.વર્ષો જૂની ચાલી આવતી માન્યતા પ્રમાણે એગોલા ગામના તમામ પરિવારો મહાકાળી માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને ત્યાં મહિલાઓ સુખડી અને ખીરનો નૈવેદ બનાવે છે અને ત્યારબાદ માતાજીના નૈવેદ ધરાવે છે. આમ કરવાથી ગામમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે. જ્યારે બાળકો પણ આખો દિવસ આખા ગામના બાળકો આનંદ અને કિલ્લોલ કરે છે ત્યારે અનોખી પ્રથાને લઈને બનાસકાંઠાનું આ ગામ પણ ચર્ચાસ્પદ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.