ધાનેરા તાલુકાના ગોલા ગામ ખાતે મનરેગા યોજનામાં તળાવમાં કરેલ પથ્થર પિચિંગ કામમાં આવી ગેરરીતિ સામે

બનાસકાંઠા
બનાસકાંઠા

અંદાજિત 10 લાખના ખર્ચે તળાવની પાળ પર કરાયું તકલાદી બાધકામ: બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને યાદ કરવા જરૂરી બની જાય છે.કારણ કે શ્રેષ્ઠ અધિકારી તરીકે પોતાની છાપ મૂકી ને ગયેલા જિલ્લા વિકાસ અધિકારીની બદલી થયા બાદ મનરેગા યોજના મા ગેરરીતિ શરૂ થઈ ગઈ છે. ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગામમાં અંદાજિત 10 લાખના ખર્ચે તળાવ બાધવાનું કામ પૂર્ણ થયું છે.જો કે બાધકામ ને હજુ માત્ર એક માસ જેટલો સમય થવા આવ્યો છે પરંતુ પીચિંગ કરેલા પથ્થરો બહાર આવી ગયા છે.મનરેગા શાખા જાણે કમાવાની કચેરી હોય તે રીતે વર્ષ દરમિયાન અનેક ગામોમા. વ્યાપક ભ્રષ્ટાચાર ની સાથે કામો થતા હોય છે. પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ના સમયગાળા દરમિયાન મનરેગા યોજના મા થતા કામો બંધ થઈ ગયા હતા.જો કે સ્વપ્લીન ખરે ની બદલી ની સાથે મનરેગા યોજનામા થતા રસ્તા ના કામો અને માટી કામો એક વાર ફરી ગેરરીતિ સાથે શરૂ થઈ ગયા છે.સરહદી ગોલા ગામમા સ્થાનિક પંચાયત ના કોન્ટ્રાકટરે ગામ થી દુર આવેલા તળાવ મા પથ્થર પિચીંગ નું કામ કર્યું છે.જો કે નિયમો પ્રમાણે પથ્થર પિંચિંગ નું કામ તળાવ ની કિનારા ની સાથે તળાવ ની અંદર ઉતરતી પાળ પર પથ્થર પીચીંગ કરવામાં આવતું હોય છે.જેથી વરસાદી પાણી ની ભરાવ થાય અને તળાવ ની પાળ તૂટે નહિ પરંતુ ધાનેરા મા મનરેગા શાખા મા નિયમો ના વિરુદ્ધ કામ.થઈ રહ્યું છે.

ગોલા ગામ ખાતે તળાવ ની પાળ પર જાણે ફૂટપાથ બનાવી હોય એ પ્રમાણે પથ્થર નાખવામાં આવ્યા છે.જે પથ્થર નીકળી ગયા છે અને માટી દેખાઈ રહી છે.ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફ થી ગ્રામીણ વિસ્તાર ના વિકાસ માટે અને જળ સંચય માટે મહત્વ ના કામો મંજૂર થાય છે.પરંતુ સ્થાનિક કોન્ટ્રાકટર આટલા બેફામ બની ગયા છે કે તેમને અધિકારીઓ ની પણ ડર નથી મન ફાવે તે રીતે નિયમો ને નેવે મૂકી કામ કરી રહ્યા છે.

જેથી કરી ને વિકાસ નાં કામોમાં ભારે ગેરરીતિ સામે આવી રહી છે.ગોલા ગામના સ્થાનિક તલાટી પાસે તળાવ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેઓ એ મનરેગા નું કામ હોવાનું જણાવ્યું છે.ગામ થી દુર અને સ્થાનિક ગ્રામજનો ને ખબર પણ નથી કે 10 લાખ જેટલી રકમ તળાવ પાછલ ખર્ચ થઈ છે.

હવે જોવાનું એ છે કે તળાવ પર થયેલ પથ્થર પિચિગ વરસાદી પાણી સહન કરી શકે છે કે કેમ તાજેતર મા ગુજરાત ના મુખ્ય મંત્રી આગળ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરાઈ હતી.જેનો પુરાવો ગોલા ગામ ખાતે થયેલ તળાવ ના પથ્થર પીચિગ નું કામ આપી રહ્યું છે.ફોટા સામેલ છે. આ બાબતે મેઘજીબાજગે તાલુકા વિકાસ અધિકારીને તારીખ 4 ,32024 એ અ રજી આપી હતી.તેમ જણાવેલ. આ બાબતે મનરેગાના અધિકારી નો સંપર્ક કરતો તેઓએ જણાવેલ કે આ બાબત તપાસ કરવા મો આવશે .કે શું હકીકત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.