અંબાજી વિસ્તારના આદીવાસી લોકોની હોળી ઉજવણીની આગવી પરંપરા

બનાસકાંઠા
બનાસકાંઠા

આદિવાસી લોકો સાત દિવસ હોળી મનાવે છે

પરંપરાગત પોશાકોમાં સજ્જ આદિવાસી ભાઈ- બહેનોથી પૌરાણિક પરંપરા જીવંત: રાજસ્થાનના મારવાડી લોકોમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ લોકો હોળી એક દિવસની નહીં પણ એક સપ્તાહભર મનાવતાં હોય છે.ત્યારે અંબાજી આજુબાજુનાં વિસ્તારમાં વસતાં આદીવાસી લોકો મુળ રાજસ્થાની જ માનવામાં આવે છે. તેઓ પણ હોળીના પર્વ ને સતત સાત દિવસ સુધી મનાવે છે.આદીવાસી લોકો હોળી પોતાની સંસ્કૃતિમાં અલગ જ રીતે મનાવે છે. આદીવાસી ભાઈ -બહેનો દિવસ દરમિયાન મહેનત મજુરી કરી રાત્રી દરમીયાન હોળીની મોંજ માણે છે.

આ આદીવાસી લોકો રાત્રી દરમીયાન અલગ-અલગ વેશભુષાઓમાં સજ્જ થઈને ઢોલ સાથે નાચગાન કરે છે. આ પ્રસંગ તેમને એક અલગ જ અનુભુતી કરાવે છે. જે કોઇ પણ જાતની સેહ સરમ વગર ફાટેલાં ટુટેલાં કપડાં પણ શરીરે વિટી લે છે અને પોતાની મસ્તીમાં ઢોલનાં તાલે નાચે છે.આ તસવીરો અંબાજીથી પાંચ કિલોમીટર દુર જેતાવાસનાં ખરાડી ફળી વિસ્તારનાં છે. જેમાં લોકો મસ્તીમાં હોળીનો તહેવાર મનાવી રહ્યાં છે. આ લોકો એક જગ્યાએ નહીં પણ અલગ-અલગ ગામડાઓમાં જઇ ને પણ આ જ રીતે હોળી મહોત્સવ મનાવે છે. વર્ષો જુની પરંપરા જે રીતે પહેલાના સમયમાં જે પહેરવેશ પહેરતા તેવા વેશ પહેરી પરંપરા ને સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.