થરાદ ખાતે રામનવમી ને લઈને પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતિ ની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ ખાતે રામનવમી ના દિવસે રામમંદિર માં મહોત્સવ ની ઉજવણી કરવાની છે તેમજ થરાદમાં રામ ભગવાન ની પ્રતિમાઓ સાથે શોભાયાત્રા નીકળશે તેમજ રામનવમી ના દીવસે ભવ્ય ઉજવણી ને લઈને થરાદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એસ એમ વારોતરીયા ની અધ્યક્ષ સ્થાને થરાદમાં રામનવમી ના દિવસે શોભાયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં રામસેવા સમિતિના પ્રમુખ જગદીશસિહ પરમાર,તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત થયા હતા અને ડીવાયએસપીએ જણાવ્યું હતું કે શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થાય અને થરાદ ની અંદર જે કાયમ હિન્દુ અને મુસ્લિમ સમાજના ની એકતા જળવાઈ રહે છે અને હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળી અને તહેવારોની ઉજવણી કરે છે એજ પ્રકારની રામ રામનામી ના દિવસે પણ શોભાયાત્રા ની એકતાના ભાવપૂર્વ દર્શન થાય તેવી જવાબદારી નિભાવશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.