થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય રામની શોભાયાત્રા નીકળશે
થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર, હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો, પ્રતિમાઓ અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવી છે. મુખ્ય બજાર રોશનીથી જગમગી ઉઠી છે. જેમાં 17 એપ્રિલના રોજ થરાદના તમામ વ્યાપારી એસોસિયન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં અને રામ ઉત્સવમાં જોડાવવા અપીલ કરાઇ છે.
થરાદ નગર સહિત થરાદ તાલુકાની જનતા આ રામનવમીની શોભાયાત્રામાં જોડાશે. નવા રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉત્સવ હોય અને પ્રથમ પાટોઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે. જેને લઈને શ્રીરામ સેવા સમિતિ થરાદ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નવા રામજી મંદિર થઈ જવાહર ચોકથી મહાવીર બજારથી કાજીવાસથી જૂની ગંજ બજારથી લક્ષ્મી માતાના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી બળીયા હનુમાન ચોકથી પરત રામજી મંદિર શોભાયાત્રા ફરશે. રામનવમીની ઉજવણીને લઈ અને થરાદના રામજી મંદિરથી અને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી 1.5 km રોશનીથી શણગારામાં આવ્યું છે.