બનાસકાંઠામાં જ્ઞાન સાધના શિષ્ય વૃત્તિની પરીક્ષામાં ૩૫૨૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, સરકાર દ્વારા ચાલુ વર્ષે ધો.૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામા ધો.૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૩૫૨૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમને ધો.૧૨ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૨ થી ૨૫ હજારની શિષ્યવૃત્તિ મળશે. જોકે, જિલ્લાની ૧૫૦ સ્કૂલો ને જ્ઞાન સાધના વર્ગો શરૂ કરવા અરજીઓ કરી હતી. જેમાં માત્ર ૪૫ સ્કુલીને જ્ઞાન સાધના વર્ગ શરૂ કરવાની મંજુરી મળી છે.

સરકાર દ્વારા ધો.૮ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક રીતે મદદરૂપ બનવા માટે જ્ઞાન શિષ્યવૃત્તિ કસોટીની શરૂઆત કરી છે. અને આ કસોટી પાસ કરનાર સરકારી અને ગ્રાન્ટેડ અને સ્વ ર્નિભર સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૮ ના વિદ્યાર્થીને ધો.૧૦ સુધી વાર્ષીક ૨૨ થી ૨૫ હજાર અને ધો.૧૧ થી ૧૨ સુધી ૭ થી ૧૨ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કૂલો માં એડમીશન આપવામાં આવશે.

જોકે, બનાસકાંઠા જિલ્લામા જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટીમાં ધો.૮ના ૩૫૨૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પરંતુ જિલ્લામાં જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કરવા ૧૪૫ સ્કૂલો એ અરજીઓ કરી હતી. તેની સામે માત્ર ૪૫ સ્કૂલોને મંજૂરી મળી હોઇ અપૂરતા જ્ઞાન સાધનાના વર્ગોને લઇ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની કસોટી પાસ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના વર્ગોમાં પ્રવેશને લઇ વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે સરકાર દ્વારા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જ્ઞાન સાધના ના વર્ગો ને મંજૂરી આપવામાં આવે તો કસોટી પાસ કરનાર દરેક વિદ્યાર્થીઓને લાભ મળી શકે તેમ છે.સરકાર દ્વારા સ્વ ર્નિભર સ્કૂલોમાં ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧૫૦ જેટલી સ્કૂલોએ જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કરવા અરજીઓ કરી હતી. પરંતુ સરકાર દ્વારા માત્ર ૪૫ સ્કૂલોને જ્ઞાન સાધનાના વર્ગો શરૂ કરવાની મંજુરી આપી છે. જેની સામે ૩૫૨૨ વિદ્યાર્થી ઓ જ્ઞાન સાધના કસોટી પાસ કરી હોઇ આ વિદ્યાર્થીના પ્રવેશને લઇ પ્રશ્ન ઉભો થયો હોઇ જીલ્લામાં જ્ઞાન સાધનાના વર્ગો વધારવાની માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.