![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/b2e3561a-2aa1-448c-b75f-5dfc0af050f5-1.jpg)
દાંતીવાડા ડેમમાંથી છોડાયેલ પાણી વાસડા આવી પહોંચ્યું
રખેવાળ ન્યુઝ ડીસા : દાંતીવાડા ડેમનું પાણી સૂકી ભઠ બનાસ નદીમાં છોડવા માટે જિલ્લા સાંસદ, ડીસા – ધાનેરા ધારાસભ્ય ,બનાસડેરીના ચેરમેન સહિત ખેડૂતોની રજુઆતને લઈને સિંચાઇ વિભાગ દ્વારા રવિવારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી બુધવારે ડીસા નજીકના વાસડા – રાણપુર ગામે આવી પહોંચ્યું હતું. જેથી હરખાયેલ ગામલોકો અને ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત અન્ય રાજકીય આગેવાનો પણ વાસડા ગામે પહોંચી ગયા હતા જ્યાં ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લાંબા સમય બાદ સૂકી ભઠ બનાસ નદીમાં નીર રેલાતા લોકોએ નદી માતાના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ ગામના સરપંચએ આ તબક્કે ડીસા ધારાસભ્યનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ડીસા ધારાસભ્યના પ્રયત્નોથી પાણી નદીમાં આવતા આસ પાસના વિસ્તારોમાં કુવાના તળ ઊંચા આવતા ખેતીના પાકોને ફાયદો થશે.
Tags Banaskantha Deesa Rakhewal vasda