બંધના એલાન ને સમર્થન અને પડતર પ્રશ્નોના દેખાવકારો અટકાયત

અરવલ્લી
અરવલ્લી

ગુજરાત કિસાન સભા,સી આઈ ટી યુ, અને આંગણવાડી કર્મચારી સંગઠનને દ્વાર ભારત બંધના એલાન ને સમર્થન આપી પડતર પ્રશ્નોના ઉકેલોની માંગ સાથે મોડાસા ચાર રસ્તા પર દેખાવો કરવામાં આવ્યા જેના પગલે ટાઉન પોલીસે મહિલા સહિત 100 દેખાવકારો અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

આશા વર્કર, સ્કીમ વર્કર, કામદારો, કિસાનો, મજૂરો  આંગણવાડી વર્કર અને કરાર આધારિત કર્મચારીઓ દ્વારા મજદૂર વિરોધ ચાર લેબલ કોડ અને ઓગણવાડી પગાર વધારા સહિતના પ્રશ્નો અને આશા વર્કર પડતર પ્રશ્નો મામલે 16 અને 17 ફેબ્રુઆરી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધ એલાનના સમર્થનમાં કર્મચારી સંગઠન આઈસીટીયુના કાર્યકરો કિસાન સભા આંગણવાડી કર્મચારી દ્વારા મોડાસા ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા અને માંગણીઓની પૂરી કરવામાં આવે તે માટે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનના પગલે ટાઉન પોલીસનો કાફલો ચાર રસ્તા નજીક ગોઠવી દેવામાં આવ્યો હતો અને 100થી વધુ દેખાવકારોની હડકાયત કરવામાં આવી હતી. જેમાં ઓગણવાડી, કિસાન સભા, આશાવર્કર, મહિલાઓ સહ કાર્યકરો પોલીસ અટકાયત કરી હતી.અને તેમને ટાઉન પોલીસ લઈ જવાયા હતા અને બાદમાં કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.