![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ફરિયાદ-નિવારણ-hed.jpg)
મોડાસા : ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ અંગે થયેલા કેસમાં જામીન મંજૂર
મુંબઈ ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા ગુજરાતમાં જ્યાં જ્યાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. ત્યાં ત્યાં ભડકાઉ ભાષણ બાબતે ફરિયાદો નોંધાઈ હતી અને ધરપકડ પણ થઈ હતી. જેના કોર્ટ દ્વારા જામીન મેળવવામાં આવ્યા છે ત્યારે આજે મોડાસા કોર્ટે પણ ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ અંગે થયેલા કેસમાં જામીન મંજૂર કર્યા છે.
મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા અરવલ્લીના મોડાસા ખાતે આવેલા કસ્બા વિસ્તારમાં આયોજક ઇશાક ગોરી દ્વારા ગત 24 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મૌલાના અઝહરી દ્વારા અપાયેલા પ્રવચન કોમીવય મનુષ્ય ફેલાય એવું પ્રવચન કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ વિરુદ્ધ પણ ઉચ્ચારણ કરાયું હતું. જે બાબતને લઈ મોડાસા ખાતે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો હતો અને મૌલાનાની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ મોડાસા ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મૌલાનાના પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી મૌલાનાને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો. ત્યાર બાદ સોમવારે જામીન અરજી દાખલ કર્યા બાદ ડિસ્ટ્રીકટ કોર્ટે મૌલાનાની જામીન અરજી મંજૂર કરી હતી.