![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/18-12.jpg)
મેઘરજના રેલ્લાવાડા ગામે જલારામ બાપા મંદિરે ઉજવણી કરાઈ
આજે સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જયંતી છે. ત્યારે બાપાની જન્મ જયંતીની સમગ્ર દેશ અને દુનિયામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે આવેલા જલારામ મંદિરે પણ સોળ ઉપચાર પૂજા સહિત અભિષેક સાથે ઉજવણી કરાઈ હતી.અરવલ્લીના મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે બાપાની 224મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 224મી જન્મજયંતી નિમિત્તે રેલ્લાવાડા ખાતે આવેલા સંત શ્રી જલારામ બાપાના મંદિરે દર વર્ષની જેમ આ સાલે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે જલારામ બાપાની મૂર્તિ પર પાણી, ગંગાજલ, દહીં, દૂધ, ચરણામૃતનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.
આ વખતે સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતી રેલ્લાવાડા ખાતે ઉજવવામાં આવી હતી. સવંત 2080 કારતક સુદ સાતમને રવિવારે રોજ મંદિર ખાતે જલારામ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. જેમાં જલારામ બાપાની આરતીનો લાહવો લેવા દૂર-દૂરથી માઇભક્તો મંદિરે પહોંચ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.