રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન
વકફ કાયદાના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ શાસનની માંગ; થરાદમાં વિશ્વ હિંદુ પરિષદે બંગાળની વર્તમાન સ્થિતિને લઈને આવેદનપત્ર આપ્યું છે. વકફ એક્ટના વિરોધની આડમાં બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા હવે સમગ્ર બંગાળમાં ફેલાઈ રહી છે. ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ થયેલા હિંસક પ્રદર્શનમાં અનેક દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્રણ નાગરિકોની હત્યા થઈ હતી અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે ૫૦૦ થી વધુ પરિવારોને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી હતી. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ક્રિય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પીડિત પરિવારોને મદદ કરવાને બદલે હિંસા ભડકાવનારા તત્વો સાથે બેઠકો કરી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદે માંગ કરી છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક દખલ કરવી જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિંસા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર