રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ડીસા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ડીસા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુ ધર્મ અને સનાતનીઓ પર અમાનવીય અત્યાચારો અને હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિવિધ હિંદુ યુવા સંગઠનો દ્વારા પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. આ બાબતે શિવ સેવાં સમિતિના પ્રમુખે જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અતિ નિંદનીય છે અને તેને તાત્કાલિક રોકવા જરૂરી છે. રાજ્ય સરકાર આ બાબતે નિષ્ફળ રહી છે, તેથી અમે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરીએ છીએ. આ આવેદનપત્ર દ્વારા, વિવિધ હિંદુ યુવા સંગઠન અને શિવ સેવાં સમિતિએ સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને પશ્ચિમ બંગાળમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

સંબંધિત સમાચાર