રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
મહેસાણા21 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર મહેસાણા હાઇવે પરના મકતુપુર નજીક લક્ઝરી બસ ટ્રક પાછળ અથડાતા બેનાં મોત

પાલનપુર મહેસાણા હાઇવે પરના મકતુપુર નજીક લક્ઝરી બસ ટ્રક પાછળ અથડાતા બેનાં મોત
15 મુસાફરોને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા; ઊંઝા નજીક આવેલ મક્તુપુર હાઈવે રોડ પર રાત્રિના સમયે પસાર થઈ રહેલ લક્ઝરી બસ આગળ જઈ રહેલ ટ્રક જેવા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે બે ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 15 મુસાફરોને સારવાર અર્થે મધરાતે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન બલોદ્રાથી સુરત જઈ રહેલ લક્ઝરી બસ ઊંઝા તાલુકાના મક્તુપુર હાઈવે રોડ પર ગઈરાત્રિના પસાર થઈ રહી હતી તે દરમિયાન આગળ જઈ રહેલ ટ્રક જેવા વાહન સાથે અથડાતા અક્સ્માત સર્જાયો હતો. મહિપાલસિંહ ભાવસિંહ રાજપૂત રહે.રાજસ્થાન અને રાજેન્દ્રસિંહ જુગતસિંહ રાજપુરોહિત રહે.રાજસ્થાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે 15 મુસાફરોને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તના નામ 1 પ્રવીણ ગણેશરામ પુરોહિત 2 આમુસિંહ જીવસિંહ રાજપૂત 3 ભવરામ રામરામજી રબારી 4 નરવતસિંહ હનુમતસિંહ ખીચી 5 વેદીચા નવરામ માલી 6 લક્ષમનરામ પીયુલારામ રાજપૂત 7 નિખિલ ખમેરાજજી જાટ 8 રિંકુબેન સુરેશભાઈ કુબાવત 9 ગુમાનસિંહ નૂતનસિંહ રાજપુત 10 ખમારામ વેલજી મેઘવાળ 11 સુરેશભાઈ મંછારામ મીના 12 જયપાલ સાવલદાસવૈષ્ણવ 13 ઉત્તમસિંહ કૃપાસિંહ પુરોહિત 14 દશરથજી ઓફસિંહ રાજપૂત 15 રાજુભાઈ નૈનારામજી ભીલ

સંબંધિત સમાચાર