સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. ખેડૂતોએ દુધવા માઈનોર કેનાલ-2 નું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. વર્ષ 2024માં સરકારે કેનાલના નવા કામની મંજૂરી આપી હતી. એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. જોકે, થોડા સમય કામ કર્યા બાદ એજન્સીએ અધૂરું છોડી દીધું છે. આના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે પહેલેથી જ ખેડૂતો મુશ્કેલીમાં છે. કેનાલના અધૂરા કામને કારણે મોટા ખાડાઓ પડ્યા છે. આના કારણે ખેતરે જવા-આવવાના રસ્તા પણ બંધ થઈ ગયા છે. ખેતી અને પશુપાલનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. મોરવાડા ડિસ્ટ્રિક્ટની આ સૌથી લાંબી કેનાલ ચાર ગામોને આવરી લે છે. જો તાત્કાલિક કામ પૂર્ણ નહીં થાય તો ચાલુ સિઝનમાં ખેડૂતોને સમયસર પાણી નહીં મળે. રવી સિઝનમાં પણ મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે અધિક્ષક ઈજનેરની કચેરી ખાતે આંદોલન કરશે. આ માટેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.
દુધવા માઈનોર કેનાલ-2નું અધૂરું કામ 5 દિવસમાં શરૂ ન થાય તો આંદોલનની ચીમકી

ટેગ્સ:#Water Supply Issues#Rural Development#Economic Loss#Suigam Taluka#Narmada Corporation#Agricultural Crisis#Farmer Protest#Incomplete Infrastructure#Dudhwa Minor Canal-2#Rain Deficiency#Morwada District#Rabi Season Impact
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
